ધોરણ ૧૦ પછી શું?

ધોરણ ૧૦ પછી શું?

રોજિંદા જીવનમાં દરરોજ આપણે કેટલા બધા ‘નિર્ણયો’ લઇએ છીએ - એ વાતનો કયારેય વિચાર કર્યો છે ખરો? આ ‘નિર્ણયો’ અલગ અલગ પ્રકારના હોય છે જેમ કે :

રોજિંદા ઘટનાક્રમના ભાગરૂપે લેવાતા નિર્ણયો - સ્‍કૂલ / ઓફિસ જવાનો નિર્ણય, સવારે બ્રશ કરવાનો - નાહવા જવાનો કે રાત્રે સૂવા જવાના નિર્ણયો... આ બધા જ નિર્ણયો આપણા રોજબરોજના જીવનનો એક ભાગ છે જ. આથી બહુ જ સહજતાપૂર્વક આ નિર્ણયો આપણે લઇએ છીએ. તેનું પાલન કરીએ છીએ.

કેટલાક નિર્ણયો એવા પણ હોય છે કે તેની પાછળ કોઇ લોજીક હોતું નથીઇ જે-તે સમયની જરૂરિયાતોને ધ્‍યાનમાં રાખીને જે-તે ક્ષણે જ નિર્ણય લઇએ છીએ. દા.ત., સ્‍કૂલ/કૉલેજ/ઓફિસથી પાછા ફરતી વખતે ખૂબ જ ભૂખ લાગી છે. મિત્રો જોડે દાબેલી / વડાપાઉ કે ગરમાગરમ નાસ્‍તો કરી લીધો. તરસ લાગી હોય તો ઠંડું પીણું પીવાનો નિર્ણય.

કેટલાક નિર્ણયો ‘ક્ષણિક આવેશ’ નો ભાગ હોય. દા.ત. પ્રોવિઝન સ્‍ટોરમાં સાબુ ખરીદવા ગયા, નવા સાબુ પર નજર પડી. તેની સુગંધ (fragrance) પસંદ પડી અને સાબુ ખરીદી લીધો. કોઇ નવી બૉલપેન / Gel pen પસંદ પડી અને તે ખરીદી લીધી.

અને હા, કેટલાક નિર્ણયો એવા પણ હોય કે આપણે બહુ જ વિચારીને નિર્ણય લઇએ. દા.ત., નવું Washing Machine કે Bike ખરીદવાના હોય તો ? આપણે ખરીદવાનું વિચારતા હોય ત્‍યારથી જ વિવિધ Washing Machine / Bike ની જાહેરાતો ધ્‍યાનથી જોઇએ / વાંચીને / સાંભળીએ .... ભાવ / Quality / Services ની તુલના (comparison) કરીએ. મિત્રોનો / સગાસંબંધીઓનો અભિપ્રાય પૂછીએ. બે-ચાર show-rooms ની મુલાકાત લઇને સરવે કરીએ. આપણને જેની પર વિશ્વાસ હોય તે વેપારીને પણ પૂછીએ અને ત્‍યારબાદ જ જે-તે વસ્‍તુ ખરીદવાનો નિર્ણય બહુ જ વિચારીને લઇએ. એટલે કે પૂરી સામેલગીરી (involvement) સાથે અને તર્ક (logic) ના આધારે જ નિર્ણય લઇએ. મિત્રો, Bike કે Washing Machine આજે ખરીદ્યા પછી જરૂર પડયે પાંચ - સાત વર્ષે ફરી વાર પણ લઇ શકાશે, પરંતુ જે નિર્ણય મારે - તમારે એક જ વાર (આપણા સમગ્ર જીવનમાં એક જ વાર) કરવાનો હોય છે તે નિર્ણય છે : ધોરણ ૧૦ પછી શું ? આપણા જીવનમાં આપણે ઘણા બધા મહત્‍વના નિર્ણયો પણ લઇએ છીએ. પરંતુ આ કદાચ બહુ જ મહત્‍વનો / અત્‍યંત મહત્‍વનો નિર્ણય છે. આથી જ બહુ વિચારીને લેવા જેવો આ નિર્ણય છે.... આ એક નિર્ણયને આધારે કદાચ આપના જીવન અને કારકિર્દીની દિશા નક્કી થશે. અગાઉ મૅટ્રિક થયા પછી ઘણા વિદ્યાર્થી મિત્રો આગળ અભ્‍યાસ ન કરવાનો પણ નિર્ણય કરતાં હતાં. પરંતુ આજે તો આ વાત જ અપ્રસ્‍તુત લાગે છે ને?

ધોરણ ૧૦ પછી શું કરવું ? આ સવાલનો જવાબ ઘણા બધા વિકલ્‍પો ધરાવે છે, આથી થોડી દુવિધા પણ થાય. આ રસ્‍તે જવું કે પેલા રસ્‍તે જવું એવી મૂંઝવણ થાય. ‘મારો બાળપણનો મિત્ર કે સખી આ કોર્સમાં એડમિશન લે છે તો મારે પણ આ જ કોર્સમાં એડમિશન લેવું જોઇએ, એવી લાલચ પણ થાય. પરંતુ આંધળું અનુકરણ કરવાનો નિર્ણય લેવાની ભૂલ ન કરશો. જે પણ નિર્ણય લો તે વિચારીને / સમજીને લેશો. બધા વિકલ્‍પોની જાણકારી મેળવીને / વિવિધ વિકલ્‍પોની તુલના કરીને / જરૂર પડયે જાણકાર - નિષ્‍ણાત વ્‍યક્તિનું માર્ગદર્શન પણ મેળવીને અને તમારી પોતાની ક્ષમતા / સંજોગો / નબળાં - સબળાં પાસાંઓ ધ્‍યાનમાં લઇને તમે જાતે જ નિર્ણય કરશો તો તે જ નિર્ણય શ્રેષ્‍ઠ રહેશે.

ધોરણ ૧૦ પછી શું કરવું ? આ સવાલના જવાબમાં એટલું જ કહી શકાય કે આપની પાસે ઘણા બધા વિકલ્‍પો છે અને આપ ધારો તો આકાશને પણ ચૂમી શકો એટલી બધી શક્યતાઓ છે જ. અંગ્રેજીમાં શબ્‍દપ્રયોગ છે. ‘Sky is the limit’ શું આકાશને સીમાડાઓ છે ખરા ? જેમ આકાશને પણ ચૂમી શકો તેટલી શક્યતાઓ છે. ધોરણ ૧૦ પછી પસંદગી માટે સમગ્ર આકાશ ખુલ્‍લું છે અને આપની પાસે છે આકાશની માફક અમાપ, અસીમિત શક્યતાઓ અને વિકલ્‍પો... ગણ્‍યા ગણાય નહીં તેટલાં સપનાંઓ આપની પાસે છે. તો આ સપનાંને સાકાર કરી બતાવવાની શક્યતા અને શક્તિ પણ આપના જ હાથમાં છે.

પસંદગીના વિકલ્‍પો
ધોરણ ૧૦ પાસ કર્યા પછી આપણી સમક્ષ કયા કયા મુખ્‍ય વિકલ્‍પો છે તે પર નજર કરીએ તો :

ધોરણ ૧૧-૧૨ – Higher Secondary માં એડમિશન મેળવવું. અહીં પણ વિજ્ઞાનપ્રવાહ, સામાન્‍ય પ્રવાહ (વિનયન-વાણિજ્ય), ઉત્‍તર બુનિયાદી પ્રવાહ એવા વિકલ્‍પો છે.

ધોરણ ૧૦ પછીના વ્‍યવસાયલક્ષી ડિપ્‍લોમાં અભ્‍યાસક્રમો (ડિપ્‍લોમાં ઇન એકાઉન્‍ટન્‍સી, ડિપ્‍લોમાં ઇન બૅન્‍કિગ, ડિપ્‍લોમાં ઇન હોમસાયન્‍સ ઇત્‍યાદિ) માં એડમિશન મેળવવું.

ધોરણ ૧૦ પછીના ટેકનિકલ ડિપ્‍લોમાં અભ્‍યાસક્રમોમાં (સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ ઓટોમોબાઇલ, મેટલર્જી, કેમિકલ, પ્‍લાસ્‍ટિક, પ્રિન્‍ટિગ, ફેબ્રિકેશન, હોમસાયન્‍સ, કોમર્શિયલ પ્રેકટિસ, માઇનિંગ, સિરેમિક, ટેક્ષ્‍ટાઇલ મેન્‍યુફેક્ચરિંગ/ટેકનોલોજી ઇત્‍યાદિ ક્ષેત્રોમાં) પ્રવેશ મેળવવો. આ ડિપ્‍લોમાં અભ્‍યાસક્રમો સરકારી પૉલિટેકનિકો/સ્‍વનિર્ભર સંસ્‍થાઓ ખાતે લઇ શકે છે.

ધોરણ ૧૦ પછી આપના માટે નોકરીની પણ કેટલીક સારી તકો છે જ - જો આપ આગળ અભ્‍યાસ કરી શકો તેવા સંજોગો ન હોય તો.

આપ ખાનગી ઉમેદવાર તરીકે પણ - ઘરે રહીને પણ - આગળ અભ્‍યાસ કરી શકો.

હવે આપ જ કહો : છે ને અનંત તકો...
આપે ધોરણ ૧૦ પછીના વિકલ્‍પો પર એક ઊડતી નજર કરીને ? હવે આપ જ કહો છો ને આકાશ જેટલી અનંત તકો. જો કોઇ ક્ષેત્રમાં વિકાસની, આગળ વધવાની અગણિત તકો હોય, તો આપણે કહીએ છીએ કે Sky is the limit હવે આપણે ધોરણ ૧૦ પછીની તકોના સંદર્ભમાં પણ આ જ વાક્ય કહી શકીએ ને?

આમ, ધોરણ ૧૦ પછી આખું આકાશ તમારા જ સ્‍વાગત માટે ખુલ્‍લું છે. તમારા પગ પાસે લીલીછમ જાજમ છે અને આપ ધારો તો સામે કોઇ જ અવરોધ પણ નથી. આપ આ જાજમ પર પગ મૂકો, ચાલો, દોડો.... તમારી તાકાત હોય તેટલાં રંગીન સપનાં લઇને દોડો.... Sky is the limit...

તો ધોરણ ૧૦ પછી આગળ અભ્‍યાસ માટે આપના રસ-રુચિ-સંજોગોને ધ્‍યાનમાં લઇને જે પણ વિકલ્‍પ પસંદ કરો. તેમાં આપ જો Top પર રહેશો તો - એટલે કે પ્રથમ પાટલીના First Bench ના વિદ્યાર્થી રહેશો તો - આપના માટે સમગ્ર આકાશ ખુલ્‍લું છે જ.

સાયન્‍સ - કોમર્સ - આર્ટસ કયો પ્રવાહ પસંદ કરવો ? કે પછી અન્‍ય કોઇ કરવા ?
આપણે જાણીએ છીએ તેમ દર વર્ષે ગુજરાત રાજ્યમાં ધોરણ ૧૦ ની Board Exam. પાંચથી છ લાખ વિદ્યાર્થી મિત્રો આપે છે જ. તેમાંથી ત્રણથી ચાર લાખ મિત્રો આ પરીક્ષા પાસ કરે છે. આ મિત્રો અને તેમના વાલીઓને એક મહત્‍વનો નિર્ણય લેવાનો છે કે હવે શું કરવું જોઇએ ? કારણકે આ નિર્ણય સમગ્ર કારકિર્દીની દિશા નક્કી કરનારો નિર્ણય પુરવાર થઇ શકે તેવી શક્યતાઓ છે - આથી બધાં જ પાસાંઓનો વિચાર કરીને આપણે આ નિર્ણય લેવાનો છે.

ધોરણ ૧૦ પછી શું ? મુખ્‍ય વિકલ્‍પો
ધોરણ ૧૦ પાસ કર્યા પછી મુખ્‍ય રસ્‍તાઓની વાત કરીએ તો : (૧) ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ માં અભ્‍યાસ (૨) ડિપ્‍લોમાં એન્‍જિનિયરિંગ તેમજ અન્‍ય ડિપ્‍લોમાં કોર્સમાં અભ્‍યાસ (૩) આઇ.ટી.આઇ ના જુદા જુદા કોર્સમાં અભ્‍યાસ (૪) ટેકનિકલ શિક્ષણના વિવિધ સર્ટિફિકેટ કોર્સમાં અભ્‍યાસ (૫) ફાઇન આર્ટ ડિપ્‍લોમાં કોર્સમાં અભ્‍યાસ (૬) કૃષિક્ષેત્રે યુનિવર્સિટીના કોર્સમાં અભ્‍યાસ (૭) કેટલાક પ્રોફેશ્‍નલ કોર્સમાં અભ્‍યાસ અથવા (૮) આગળ અભ્‍યાસ છોડી દઇને ધંધામાં અથવા નોકરીમાં જોડાઇ જવું.

પહેલી પસંદગી ધોરણ ૧૧-૧૨:
ધોરણ ૧૦ પછી શું કરવું એનો સૌથી સારો જવાબ એક લીટીમાં આપીએ તો ધોરણ ૧૧ માં એડમિશન લેવું ધોરણ ૧૦ પછી આગળ અભ્‍યાસ માટે મુખ્‍ય બે પ્રવાહો છે : (૧) સામાન્‍ય પ્રવાહ (૨) વિજ્ઞાન પ્રવાહ.

સામાન્‍ય પ્રવાહમાં અભ્‍યાસ :
(૧) આર્ટસના વિષયો રાખીને અથવા (૨) કોમર્સના વિષયો રાખીને ધોરણ ૧૧ સામાન્‍ય પ્રવાહમાં એડમિશન લઇ શકાય છે. ૧૧ માં ધોરણની પરીક્ષા સ્‍કૂલ લે છે અને ધોરણ ૧૨ સામાન્‍ય પ્રવાહની પરીક્ષા બોર્ડ લે છે અને હા, આપ જાણતા જ હશો કે ૧૧ મા ધોરણમાં ભલે સ્‍કૂલ પરીક્ષા લે, પરંતુ પ્રશ્નપત્રો (papers) તો બોર્ડ દ્વારા જ સેટ કરવામાં આવે છે

ધોરણ ૧૨ કોમર્સ :
૧૨ આર્ટસ અને ૧૨ સાયન્‍સની બોર્ડની પરીક્ષા આપનારની કુલ સંખ્‍યા કરતાં બમણી સંખ્‍યા ધોરણ ૧૨ કોમર્સના સ્‍ટુડન્‍ટની હોય છે. આ વર્ષ લગભગ અઢી લાખ જેટલા સ્‍ટુડન્‍ટ ધોરણ ૧૧ કોમર્સમાં એડમિશન લેશે. કોમર્સના વિષયો સાથે ધોરણ ૧૨ પાસ કર્યા પછી આગળ અભ્‍યાસ માટે (૧) બી. કોમ. (૨) બી.બી.એ. (૩) બી.સી.એ. (૪) બી. એસ.સી. આઇટી (૫) સળંગ પાંચ વર્ષના ઇન્‍ટિગ્રેટેડ MBA અને M.Sc. (TT) M.Com. L.L.B વગેરે જેવા ઘણા અભ્‍યાસક્રમો ગુજરાતમાં ચાલે છે.

ધોરણ ૧૨ આર્ટસ :
આર્ટસના વિષયો સાથે ધોરણ ૧૨ પાસ કરનાર માટે ઉજ્જવળ ભવિષ્‍ય ધરાવતા અનેક અભ્‍યાસક્રમો છે. અંગ્રેજી, અર્થશાસ્‍ત્ર, સાયકોલોજી, સમાજશાસ્‍ત્ર, ગુજરાતી, હિસ્‍ટ્રી, ભૂગોળ જેવા કોઇપણ વિષય સાથે બી.એ. નો અભ્‍યાસ કરી શકાય છે. કમ્‍પ્‍યુટર અને ઇન્‍ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં કેટલાક બેચલર ડિગ્રી કોર્સ છે. જેમાં ૧૨ આર્ટસને એડમિશન મળે છે. બી.બી. એ. ના કોર્સમાં પણ કેટલીક યુનિવર્સિટી ૧૨ આટર્સના સ્‍ટુડન્‍ટને પ્રવેશ આપે છે. સળંગ BABEd (ભાષા) નો અભ્‍યાસક્રમ શરૂ થયેલ છે.

ધોરણ ૧૨ સાયન્‍સ :
દસમાં ધોરણમાં ૭૦% કે તેથી વધારે માર્કસ આવ્‍યા હોય તો ઘણાને ૧૧ સાયન્‍સમાં એડમિશન લેવાની ઇચ્‍છા થાય છે. દસમાં ધોરણમાં પચાસ ટકા માર્કસ હોય તો પણ ૧૧ સાયન્‍સમાં એડમિશન મળી શકે છે. ધોરણ ૧૦ પછી સાયન્‍સ પ્રવાહમાં એડમિશન લેનારની સંખ્‍યા દર વર્ષે ઘટતી જાય છે. ધોરણ ૧૨ સાયન્‍સમાં સારા માકર્સ આવશે કે નહીં તેની ચિંતા ઘણાનાં મનમાં હોય છે.

સાયન્‍સ પ્રવાહમાં ત્રણ વિકલ્‍પો છે
Group A: Physics, Chemistry - Maths. (Biology વિષય નથી)
Group B: Physics, Chemistry - Biology - (Maths વિષય નથી)
Group C: Physics, Chemistry - Maths. (ગ્રુપ AB કહેવાય છે.)

આમ, જે વિદ્યાર્થી મિત્રો મેડિકલ વિદ્યાશાખામાં જ જવાનો આગ્રહ રાખે છે તેઓ Group "B" ના વિષયો પસંદ કરી શકે અને જેઓ ફક્ત એન્‍જિનિયરિંગ વિદ્યાશાખામાં જ જવાનો આગ્રહ રાખતા હોય તેઓ Group "A" ના વિષયો પસંદ કરી શકે છે. A/B ગૃપ રાખવાથી મહેનત વધુ કરવી પડે પણ એડમિશનના ચાન્‍સ વધુ અને દરેક શાખામાં પ્રવેશની શક્યતા રહે છે.

સામાન્‍ય પ્રવાહ કે સાયન્‍સ
ધોરણ ૧૦ પાસ કર્યા પછી આગળ ધોરણ ૧૧ ને ધોરણ ૧૨ નો અભ્‍યાસ પહેલી પસંદગીમાં રાખીએ તો એડમિશન શેમાં લેવું ? કોમર્સમાં કે સાયન્‍સમાં ?

સવાલ મહેનત કરવાનો છે : ધોરણ ૧૦ પછી અભ્‍યાસ બદલાય છે. આટર્સ, કોમર્સ અને સાયન્‍સમાં નવા વિષયો આવે છે. તમે જે વિષય પસંદ કરો તે વિષયમાં મહેનત તો કરવાની જ છે. આપણે એવું માનીએ છીએ કે (૧) સાયન્‍સમાં બહુ જ મહેનત કરવી પડે, (૨) કોમર્સમાં થોડી મહેનતથી ચાલે અને (૩) આટર્સના વિષયો રાખીએ તો ખાસ કંઇ મહેનત કરવાની જરૂર નથી. આ માન્‍યતાઓ ખોટી છે.

વધુ મહેનતનો યુગ : કમ્‍પ્‍યુટર અને ઇન્‍ટરનેટનો આ યુગ છે. દરરોજ ૧૨ કલાક જેટલી મહેનત તો કરવી જ જોઇએ. તમે જુઓ મમ્‍મી રોજ કેટલા કલાક કામ કરે છે ? પપ્‍પા પણ કેટલું કામ કરે છે ? પપ્‍પા પણ કેટલું કામ કરે છે ! બિઝનેસ હોય કે નોકરી, જે વધારે કલાક કામ કરે છે તે આગળ આવે છે.

તમે પણ વધુ મહેનતની ટેવ પાડી શકો. ધોરણ ૧૧ ના પહેલા ચાર-પાંચ મહિના તમને આ માટે મળે છે. તમે રોજ વધુ ને વધુ કલાક ભણવાની ટેવ પડી ગયા પછી તમે સાયન્‍સના વિષયો રાખો કે કોમર્સના, ૮૦% થી વધારે માકર્સના સ્‍ટુડન્‍ટ તરીકે તમારી ગણના થવાની જ છે.

સાયન્‍સ રાખવું સારું?

સેલ્‍ફ ફાયનાન્‍સ ધોરણે મેડિકલ, ડેન્‍ટલ, એન્‍જિનિયરિંગ, ફાર્મસીની ડિગ્રી કૉલેજો વધતી જાય છે.

સાયન્‍સ કૉલેજોમાં બાયૉટેકનોલોજી, માઇક્રોબાયોલૉજી જેવા પ્રોફેશનલ અભ્‍યાસક્રમો સાથે બી.એસ.સી. કરવાની તકો વધતી જાય છે. ઇન્‍ટીગ્રેટેડ (સળંગ) કોર્સ MSc (BT) (TT) ફિઝિક્સ વગેરે શરૂ થયાં છે.

એરફોર્સ અને નેવીમાં ઓફિસર બનવાની તક મળે છે.

ધોરણ ૧૨ પછીના મોટા ભાગના અભ્‍યાસક્રમોમાં સાયન્‍સના સ્‍ટુડન્‍ટને એડમિશન મળી શકે છે.

કર્ણાટક અને મહારાષ્‍ટ્ર જેવાં નજીકનાં રાજ્યોમાં ગુજરાતના સ્‍ટુડન્‍ટને વગર ડૉનેશને સારા કોર્સમાં એડમિશન મળવાની તકો વધતી જાય છે.

૧૨ સાયન્‍સમાં પાસ થવાનું તેમજ ૫૦% થી વધારે માકર્સ લાવવાનું અઘરું નથી.

ધોરણ ૧૨ સાયન્‍સ પછી આપ PMT, AIEEE સહિતની ઘણી બધી પ્રવેશ પરીક્ષાઓ આપીને મેડિકલ, એન્‍જિનિયરિંગ, ફાર્મસી, IT ઇત્‍યાદિ અભ્‍યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકો છો. એટલે કે કોઇ કારણસર આપ ધોરણ ૧૨ સાયન્‍સમાં ઓછા માકર્સ લાવો તો પણ પ્રવશ પરીક્ષાઓ દ્વારા આપના મનગમતા / પસંદગીના કોર્સમાં પ્રવેશ મેળવવાનો વિકલ્‍પ પણ આપની પાસે છે જ.
ડિપ્‍લોમાં એડમિશન લેવુ ?
ધોરણ ૧૦ પછી (૧) કમ્‍પ્‍યુટર સાયન્‍સ (૨) ઇન્‍ફર્મેશન ટેકનોલોજી (૩) કમ્‍પ્‍યુટર ટેકનોલોજી (૪) ઇલેકટ્રોનિકસ એન્‍ડ ટેલિકોમ્‍યુનિકેશન (૪) ઇલેકટ્રોનિકસ એન્‍ડ કમ્‍યુનિકેશન જેવા ડિપ્‍લોમાં એન્‍જિનિયરિંગના કોર્સમાં એડમિશન મેળવવા મહારાષ્‍ટ્ર, કર્ણાટક જેવાં રાજયો (ઓછા ટકાથી) તમને આમંત્રણ આપે છે. આપણે ત્‍યાં આ પ્રકારના ડિપ્‍લોમાં એન્‍જિનિયરિંગના કોર્સ ૧૨ સાયન્‍સ પછી છે.

હવે જો કે ગુજરાતમાં આ પ્રકારના ફેરફાર આવેલ છે અને ઉપરોક્ત કોર્સ (બ્રાન્‍ચ) મળે છે પણ એડમિશનમાં ઊંચી ટકાવારી થાય છે. ડિપ્‍લોમાં પછી ડિગ્રી મહારાષ્‍ટ્ર અને કર્ણાટકમાં ધોરણ ૧૦ પછી ડિપ્‍લોમાં એન્‍જિનિયરિંગના કોર્સ કરેલ હોય, તો તમને ડિગ્રી એન્‍જિનિયરિંગ માં એડમિશન મળી શકે છે. આપણે ત્‍યાં ગુજરાતમાં પણ ધોરણ ૧૦ પછી ડિપ્‍લોમાં એન્‍જિનિયરિંગ કરનારને મેરિટ પ્રમાણે જે તે એન્‍જિનિયરિંગના ડિગ્રી કોર્સમાં પ્રવેશ મળશે. આ માટે દસ ટકા બેઠકો પણ અનામત રાખવામાં આવશે. એટલે કે ડિપ્‍લોમાના આધાર પર ડિગ્રી એન્‍જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા ધોરણ ૧૨ સાયન્‍સ કરવું જરૂરી નથી.

ધોરણ ૧૨ Commerce / Arts પછી શું થઇ શકે ?

અગાઉ કહ્યું તેમ ધોરણ ૧૦ પછી આપણે જે પણ વિષયો પસંદ કરીએ, આપણે જે - તે વિષયો / વિદ્યાશાખા પસંદ કર્યા પછી આગળ કયા કયા વિકલ્‍પો છે, તે ધ્‍યાનમાં રાખીને જ નિર્ણયો લેવાના છે. આપણે જાણીએ છીએ કે ધોરણ ૧૦ પછી મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો ધોરણ ૧૧ માં General Stream માં પ્રવેશ લે છે. ધોરણ ૧૧-૧૨ માં સામાન્‍ય પ્રવાહ અંતર્ગત Arts અને Commerce ના વિષયો હોય છે. આ Science, General Stream ઉપરાંત ધોરણ ૧૧-૧૨ માં વ્‍યવસાય લક્ષી પ્રવાહ અને ઉત્તર બુનિયાદી પ્રવાહના વિકલ્‍પો પણ છે.

આપ ધોરણ ૧૨ માં કોમર્સ કે આટર્સ ના વિષયો રાખો તો ત્‍યાર પછી આપ આ વિદ્યાશાખાઓમાં આગળ અભ્‍યાસ કરી શકો.

PTC
B.B.A.
ફેશન ડિઝાઇન
હોટેલ મૅનેજમેન્‍ટ
Fine Arts
L.L.B. (પાંચ વર્ષ)
B. A. ડાયરેકટ (પાંચ વર્ષ)
BA BEd (ચાર વર્ષ)
B. Com.
M.Sc. (I.T.) (પાંચ વર્ષ)
M. Com. (પાંચ વર્ષ) (ડાયરેકટ - Integrated Course)

યાદ રહે, આપ અંગ્રેજી વિષય સાથે કે અંગ્રેજી વિષય વગર ધોરણ ૧૧-૧૨ નો અભ્‍યાસ કરી શકો. પરંતુ આજના યુગમાં અંગ્રેજી ભાષાની અવગણના કરવા જેવું નથી. આથી અંગ્રેજી વિષય ખાસ રાખવો. આપ કોઇ પણ ક્ષેત્રમાં જાઓ - અંગ્રેજી ભષાનું જ્ઞાન આપને મદદરૂપ થશે જ.

કમ્‍પ્‍યુટર અને ઇન્‍ટરનેટ સાથે ‘દોસ્‍તી’ કરશો તો ફાયદો આપને જ છે !! ‘‘ ૨૧ મી સદી - ઉજ્જવળ ભવિષ્‍ય’’
ખરેખર સાચી જ વાત છે ને ? આ ૨૧ મી સદી એટલે કમ્‍પ્‍યુટર અને ઇન્‍ટરનેટ સાથે દોસ્‍તી કરવાનો સમય. ૨૧ મી સદી એટલા માટે મહત્‍વની છે કે એના પહેલાં પાંચ વર્ષ ઇન્‍ટરનેટનાં છે. આ પાંચ વર્ષ ઇન્‍ટરનેટનાં છે. આ પાંચ વર્ષ તમારાં પણ બની શકે, પણ જો તમે ઇન્‍ટરનેટને ફ્રેન્‍ડ બનાવો તો.

માર્ચ ૨૦૦૫ માં લેવામાં આવેલ આ પરીક્ષા માર્ચ ૨૦૧૦ માં કેવી હશે ? આ વર્ષે પાંચમું ધોરણ પાસ કરી છઠ્ઠા ધોરણમાં દાખલ થયેલા લિટલ માસ્‍ટર્સ - નાનકડા સ્‍ટુડન્‍ટ ફ્રેન્‍ડસ ઇ.સ. ૨૦૧૦ માં ધોરણ ૧૦ ની પરીક્ષા કમ્‍પ્‍યુટર પર on line આપતા હશે એટલે તો જે સ્‍માર્ટ છે તે કમ્‍પ્‍યુટર સાથે પાકી ભાઇબંધી કરી લેવાના. તમે કમ્‍પ્‍યુટરને તમારા સૌથી પ્રિય મિત્ર જ બનાવી દેજો.

બસ પછી જોજો એની દોસ્‍તીની કમાલ.

ધોરણ ૧૦ ની માર્કશીટ તમારા હાથમાં છે. પહેલું પગલું ભરવા એક પગ જમીન પરથી અધ્‍ધર આકાશમાં આવ્‍યો છે. બીજો પગ હજુ તો જમીન પર જ છે. અવનવાં સપનાં જોવા આખું આકાશ છે અને પુરુષાર્થ માટે સમગ્ર પૃથ્‍વી છે. દસમાં ધોરણ પછી તમે કારકિર્દીના મેદાનમાં પગ મુકવાના છો. એક પછી એક ડગલાં મૂકો. ચાલો - દોડો. જમીન અને આકાશ સતત તમારી સાથે છે. બ’ને આંખોમાં સપનાં આંજી આગળ ચાલજો. કમ્‍પ્‍યુટર અને ઇન્‍ટરનેટ જેના ખાસ મિત્રો હોય એના તમામ વર્ગો સિદ્ધિ અને સફળતાના માર્ગો જ બનાવાના છે.

ધોરણ ૧૦ પછીના માર્ગો :
ધોરણ ૧૦ પછી સામાન્‍ય રીતે આટલા માર્ગો મુખ્‍ય જોવા મળે છે :

કોઇ પણ પ્રવાહમાં - આટર્સ, કોમર્સ, સાયન્‍સ ઇ. વ્‍યવસાયલક્ષી વિષયો લઇ ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ નો અભ્‍યાસ કરવો.

ધોરણ ૧૦ પછી ડિપ્‍લોમાં એન્‍જિનિયરિંગના કોર્સમાં એડમિશન મેળવવું.

ફાઇન આટર્સની ડિપ્‍લોમાં કોર્સ કરવો.

આઇ.ટી.આઇ. માં પ્રવેશ કરવો.

કૃષિક્ષેત્રના કોર્સ કરવા.

ટેકનિકલ ટેકનોલોજી, કમ્‍પ્‍યુટર, ઇલેકટ્રોનિકસ એન્‍૯ કમ્‍યુનિકેશન જેવા ડિપ્‍લોમાં એન્‍જિનિયરિંગના કોર્સ કરવા ગુજરાત બહાર મહારાષ્‍ટ્ર કે કર્ણાટક ભણવા જવું.

સેનેટરી ઇન્‍સ્‍પેકટર, સહકારી ક્ષેત્રનો ડિપ્‍લોમાં કે સર્ટિફિકેટ કોર્સ અથવા અન્‍ય પ્રોફેશનલ કોર્સ કરવા.

ધોરણ ૧૦ પછી નોકરી અથવા ધંધામાં જોડાઇ જવું અને સાથે સાથે ભણવાનું ચાલુ રાખવું.

ભણવાનું છોડી દેવું અને કોઇ વ્‍યવસાયમાં લાગી જવું.

સૌથી શ્રેષ્‍ઠ માર્ગો :
જો કમ્‍પ્‍યુટર અને ઇન્‍ટરનેટ સાથે મિત્રતા કરશો તો કોઇ ચિંતા જ નથી. એનો જાદુ અદભુત છે. તમને સૌથી શ્રેષ્‍ઠ માર્ગ પર જ લઇ જશે. આગળ દર્શાવેલ નંબર ૧ થી ૧૦ સુધીના માર્ગોની વાત કરીએ તો ૧ (પહેલો) નંબર સૌથી શ્રેષ્‍ઠ માર્ગ છે અને છેલ્‍લો નંબર એટલે નંબર ૧૦ ના માર્ગ સામે ભૂલથી પણ જોવું નહીં.

૨૧ મી સદી પોકારીને કહે છે કે ભણવાનું ચાલુ રાખજો. જે ભણશે તેની સાથે રિદ્ધિ-સિદ્ધિ રહેશે, તેની પ્રગતિ થશે.

Powered by : Education Department - Government of Gujarat

મિત્રો અમોને આપ ના સુજાવ જરૂર થી મોકલ જો email -jay.bhavani36@yahoo.com

4 comments:

  1. Bhai tamaro mobile no aapo
    My whatsapp 9722328949

    ReplyDelete
  2. પાઈલોટ બનવા માટે કઈ લાઈન લેવી જોઈએ?

    ReplyDelete
  3. Thanks for the information ☺️

    ReplyDelete